અજ્ઞાની વ્યક્તિને ખુશ કરવો સરળ છે. વિદ્ધાન વ્યક્તિને પ્રસન્ન કરવો તેથી પણ સરળ છે પણ જે માણસમાં જ્ઞાન ન હોવા છતાં અહંકાર ભરેલો હોય તેને પ્રસન્ન કરવો બ્રહ્મા માટે પણ અસંભવ છે.

ગુલહસનના બ્લોગ પર આપનુ હાર્દિક સ્વાગત છે.

રવિવાર, 26 ફેબ્રુઆરી, 2012

પુષ્પ માંથી મળતી પ્રેરણા !!!

         ખુબ જ ટૂંકુ આયુષ્ય છતાં ચિરંજીવ અસ્તિત્વ હોય છે પુષ્પનું. તેનો એક માત્ર નાનો સંપર્ક પણ અવિસ્મરણીય હોય છે. કારણ ખબર છે? નિષ્કામ કર્મ એના જીવનનો સિધ્ધાંત છે. નિસ્વાર્થ સમર્પણ,ફોરમનું પ્રસરણ એના જીવનનું લક્ષણ છે. ઋજુતા,સૌંદર્ય, સ્નેહ અને સ્મિત એના જીવનની વિશષતા છે.           માનવ અસ્તિત્વ માટે આમનું કશું જ અશક્ય નથી.
           તેનો પર્યાય ન બની શકાય તે અફસોસની વાત છે, દ્ર્ષ્ટાંત ન બની શકાય તે ખુંચે તેવી વાત છે, પરંતુ... પ્રેરીત ન થઇએ એ તો બહુ જ અઘરું કહેવાય. પ્રેરણાનો એક અંશ, અંતિમ શબ્દ "સ્મિત" તો અત્યારે પણ આવિસ્કૃત થઇ રહ્યો છે પરાકાષ્ટા. નિષ્કામ કર્મ સુધી પહોંચવું જોઇએ.
            મુક્યું છે વિચાર કિરણ એક વહેતું
            પ્રસરશે તોય જીવન સમૃધ્ધ બનશે.
 



ટિપ્પણીઓ નથી: