અજ્ઞાની વ્યક્તિને ખુશ કરવો સરળ છે. વિદ્ધાન વ્યક્તિને પ્રસન્ન કરવો તેથી પણ સરળ છે પણ જે માણસમાં જ્ઞાન ન હોવા છતાં અહંકાર ભરેલો હોય તેને પ્રસન્ન કરવો બ્રહ્મા માટે પણ અસંભવ છે.

ગુલહસનના બ્લોગ પર આપનુ હાર્દિક સ્વાગત છે.

રવિવાર, 12 ફેબ્રુઆરી, 2012

'મનભેદ' અને 'મતભેદ'

'મનભેદ' અને 'મતભેદ'

સંબંધોના સમીકરણમાં ઘટતું પાંસું ક્યું ?
જવાબ બે નીકળે 'મનભેદ' અને 'મતભેદ'.
    મતભેદ સાથે વાતચિત,વ્યવહાર અને સહવાસ અશક્ય નહી, પણ અઘરાં જરૂર છે.
    આમ છતાં 'સંભવિતતો' છે જ
    પરંતુ.....
    મનભેદ સાથે સહવાસ તો છું વ્યવહાર કે વાતચીતેય શક્ય નથી.
   આપણે આપણા મનને મતભેદો સુધી ને મતભેદોથી મનભેદો સુધી ન જવા દેનો નિર્ણય લઇએ. આમ છતાં  મન તો ચંચળ છે, ક્યાં કાબુમાં રહે છે?
       ટાઢા ટાઢા વાતાવરણમાં રહેલા
       ઉના ઉના શબ્દો દીર્ઘાયુ બનશે તો
       ઓછામા ઓછો એક સંબંધ ચિરંજીવ બનશે
       પ્રયત્ન કરીશુ જ ને !!!

ટિપ્પણીઓ નથી: