અજ્ઞાની વ્યક્તિને ખુશ કરવો સરળ છે. વિદ્ધાન વ્યક્તિને પ્રસન્ન કરવો તેથી પણ સરળ છે પણ જે માણસમાં જ્ઞાન ન હોવા છતાં અહંકાર ભરેલો હોય તેને પ્રસન્ન કરવો બ્રહ્મા માટે પણ અસંભવ છે.

ગુલહસનના બ્લોગ પર આપનુ હાર્દિક સ્વાગત છે.

મંગળવાર, 23 એપ્રિલ, 2013

મુખપુષ્ટ


ભલે અલ્પ તોયે વધારે લખ્યું છે લખ્યું તે બધું રક્તધારે લખ્યું છે
કરું છું રૂપાંતર હું શબ્દોમાં કેવળ 
તમે જે ઇશારે ઇશારે લખ્યું છે
લખ્યું તો જિવાયું, જીવ્યો તો લખાયું અમે એક નવતર પ્રકારે લખ્યું છે
લખાણે લખાણે પ્રહારો થયા છે અમે પણ પ્રહારે પ્રહારે લખ્યું છે
પડી સાંજ તો એટલી હાશ છે કે - કશું કાયમી મેં સવારે લખ્યું છે
તમે તો રઈશબસ કુટાતા રહ્યા છો તમે આ બધુંબોલો ક્યારે લખ્યું છે!
                                                                                      - રઈશ મનીઆર


 ગુલ ની શાયરીઓ... 
 
ભાઇ ! ઉગતો શાયર છું નવ્ય હું
ગઝલ દીપની  જ્યોત છું ભવ્ય હું,
હૈયા હરી લઉ, એવું છું દ્રવ્ય હું
કાલીદાસની કલમ નું છું કાવ્ય હું.

*********************

એમ તો ભલે લાગે તમને સાવ નાનકડી
દાદ ન આપો તો કાંઇ નહી ઉડાડશો ન ઠેકડી,
લથડતા હૈયાને ટેકો આપે છે સતત
કલમ મારી છે આ, ગાંધીની લાકડી